કેજરીવાલ વીજળીના ભાવ વધારાને લઈને આમરણાંત ઉપવાસ પર

સોમવાર, 4 માર્ચ 2013 (18:23 IST)
P.R
અણ્ણાની પાર્ટીમાંથી જુદા પડેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં થનારી ચૂંટણી પહેલા સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. અરવિંદ કેજરીવાલે 23 માર્ચે ભગતસિંહની શહાદતના દિવસે વીજળીના ભાવવધારાના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય કર્યો છે.

અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરી છે કે તેઓ વીજળીનું બિલ ન ભરે અને કહ્યુ હતુ કે વીજ કંપની અને સરકારની મિલીભગતથી વીજળીના ભાવ વધાર્યા છે. જ્યારે લોકોને ઓછા દરે વીજળી મળી શકે તેમ છે. આ મુદ્દો ભલે દિલ્હીનો છે પણ કેજરીવાલે વિરોધ માટે પોતાના કૌશાંબી ખાતેના ઘરનું બિલ પણ નહીં ભરવાનું એલાન કર્યું છે.

તેઓ કહે છે કે મારી પાસે ફરિયાદ અને પુરાવ છે કે લોકોને 20 હજાર સુધીના બિલ આવી રહ્યા છે જો સરકાર વીજ કંપનીઓ પર લગામ નહી લગાવે તો તેઓ અનિશ્ચિત મુદત સુધી ભૂખ હડતાલ કરશે. કેજરીવાલના જણાવ્યા પ્રમાણે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, ડીઈઆરસી અને વીજકંપનીઓમાં મિલીભગત ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો