કલ્યાણ સાથે દોસ્તી નહી તોડે મુલાયમ

ભાષા

મંગળવાર, 5 મે 2009 (09:25 IST)
લખનૌ. સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમસિંહ યાદવે પૂર્વ ભાજપના નેતા કલ્યાણસિંહની સાથે પોતાની દોસ્તી વિશે રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તેમજ થોડાક કોંગ્રેસી નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલ નિંદાને અનુચિર કરાર આપતાં કહ્યું કે કલ્યાણ સિંહ સાથે દોસ્તીના મુદ્દે તેઓ પીછે હટ નહિ કરે.

યાદવે કહ્યું કે કલ્યાણ સિંહ સાથે દોસ્તીના સવાલ પર પીછે હટ કરવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. આ મુદ્દે રાજદ નેતા લાલુ પ્રસાદ યાદવ અને થોડાક કોંગ્રેસી નેતા દ્વારા કરવામાં આવી રહેલ નિંદાના જવાબમાં યાદવે કહ્યું કે તેમની નિંદા હાલના સમયમાં યોગ્ય નથી.

સપા પ્રમુખે દાવો કર્યો કે કલ્યાણસિંહે અમારી સાથે મળીને ભારતીય જનતા પાટીને વધારેમાં વધારે નબળી કરવા માટેની લડાઈ લડી રહ્યાં છે જેમાં અંતે ધર્મનિરપેક્ષ તાકાતોને જ મજબુતી મળશે અને લોકસભામાં સમાજવાદી પાર્ટીના સભ્યોની સંખ્યા વધશે.

વેબદુનિયા પર વાંચો