ઓનર કિલિંગ મુદ્દે ત્રણ આરોપી પકડાયા

ભાષા

શુક્રવાર, 25 જૂન 2010 (12:09 IST)
દિલ્હીમાં ખોટી શાન માટે રવિવારે શ્રેણીબદ્ધ રીતે પોતાના ત્રણ સંબંધીઓની કથિત રીતે હત્યા કરનારા ત્રણ યુવકોને ગાઝિયાબાદના ગઢમુક્તેશ્વર વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યાં છે.

વરિષ્ઠ પોલિસ અધિક્ષક રઘુવીર લાલે જણાવ્યું કે, મનદીપ નાગર (ઉ. 23), અંકિત ચૌધરી (ઉ.22) અને નકુલ ખારી (ઉ. 21) ને દિલ્હીથી લગભગ 90 કિલોમીટર દૂર ગઢમુક્તેશ્વરમાંથી પકડી લેવામાં આવ્યાં છે. તેમની પાસેથી એક દેશી પિસ્તૌલ પણ કબ્જે કરવામાં આવી છે. લાલે જણાવ્યું કે, એક કાર પણ જપ્ત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો