અખિલેશના ખાસ રાજા ભૈયાનું રાજીનામું

સોમવાર, 4 માર્ચ 2013 (13:19 IST)
.
P.R
ઉત્તરપ્રદેશના ખાદ્ય મંત્રી રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાએ પોલીસ ઉપધિક્ષક્ષ જિયા ઉલ હકની હત્યામાં નામ આવતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જો કે રાજા ભૈયાએ હત્યામાં જોડાયા હોવાના આરોપથી ઈંકાર કર્યો છે. તેઓ કહે છે કે તેઓ નિર્દોષ છે. રાજા ભૈયાએ લખનૌપહોંચીની મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી અને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ. આ હત્યાકાંડમાં તેમનુ નામ આવતા સતત તેમના રાજીનામાની માંગ ઉઠી હતી.

આ મામલે માયાવતીએ કાનૂન વ્યવસ્થાની બદત્તર હાલાત જોઇને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની હિમાયત કરી હતી. આ કેસમાં રાજા ભૈયા સિવાય બીજા ચાર લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં રાજા ભૈયા અને તેમના નજીકના કુંડા પંચાયતના પ્રમુખ ગુલશન યાદવ, શમિત સિંહ, હરિઓમ શ્રીવાસ્તવ તેમજ ગુડ્ડૂ સિંહ વિરૂદ્ધ રિપોર્ટ નોંધાવી છે.

ઉલ્લેખનીય બાબત છે કે પ્રતાપગઢના બલીપુર ગામમાં શનિવાર સાંજે ગ્રામ પ્રધાન અને તેના ભાઇની હત્યા બાદ ભીડ બેકાબુ બનતા ભીડે પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં ડીએસપીનું મોત નિપજયું હતું અને અન્ય આઠ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ડીવાયએસપીના મૃત્યુ બાદ તેમની પત્ની પરવીન આઝાદે રાજા ભૈયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

વેબદુનિયા પર વાંચો