ભારતીય મૂળનાં એક સોનીને બે બદમાશોએ લૂંટી, તેની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. બદમાશોએ વેપારીને લૂંટીને તેને ગોળી મારી ફરાર થઈ ગયા હતાં.
ડરબન શહેરનાં મધ્યમાં સ્થિત પૈટ પાથેરની જ્વેલર્સની દુકાન આવેલી છે. બુધવારે સવારે લૂંટનાં ઈરાદાથી બે હથિયારબંધ બદમાશો દુકાનમાં ઘુસી ગયા હતાં. અને, કર્મચારીને બંધક બનાવી દીધા હતાં. અને,સોના ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ આપી દેવાની માંગ કરી હતી. જે દરમિયાન પહેલાં તેમણે દુકાનમાં લૂંટ ચલાવી હતી. ત્યારબાદ પાથેરની હત્યા કરી નાંખી હતી.
આ દરમિયાન પાથેરે સ્વરક્ષા માટે બંદૂક કાઢી હતી. જેમાં સામસામે ગોળીબાર થયો હતો. જેમાં પાથેરને ગોળી વાગી હતી. પાછળથી તેમને હોસ્પીટલ લઈ જવાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. 64 વર્ષીય પૈટ પાથેર અને તેમનો પરિવાર છેલ્લાં 80 વર્ષોથી અહીં જ્વેલર્સની દુકાન ધરાવે છે. ઉલ્લેકખનીય છે કે દુનિયામાં સૌથી વધુ અપરાધ દક્ષિણ આફ્રિકામાં થાય છે.