આપણી આજુ બાજુ ઘણી પ્રાકૃતિક ઔષધિઓ હાજર હોય છે. જેના વિશે આપણે અજાણ હોઈએ છીએ. ઘણીવાર આપણે જાણવા છતાં પણ તેનો યોગ્ય ઉપયોગ નથી સમજી શક્તા. ઘણી વનસ્પતિ, ફળ અને મસાલા એવા હોય છે જે સંક્રમણથી બચાવવામાં કારગર સાબિત થાય છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક ઉપાયો.
- થોડીક તજને બે કપ પાણીમાં ઉકાળો અને પી જાવ.
- તમારા ભોજનમાં કાળામરી અને હળદરનો પણ ઉપયોગ કરો. આ સંક્રમણ રોકવામાં મદદરૂપ છે.
- મધ અને આદુ આ બંને વાયરલ ઈંફેક્શનને રોકવામાં મદદરૂપ છે.
- સવારે સાધારણ ગરમ પાણી પીવુ પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.