ભારતમાં યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) પેમેન્ટ લોકપ્રિય બન્યું છે અને દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા કરોડોમાં છે, પરંતુ ઘણા લોકો યુપીઆઈ સાથે મોબાઇલ નંબર લિંક કર્યા પછી તે નંબર ઇનઍક્ટિવ થઈ જાય, ત્યારે તેને અપડેટ કરાવતા નથી હોતા. તેના કારણે સુરક્ષાને લઈને મોટી સમસ્યા પેદા થઈ શકે છે.
તે મુજબ તમારો મોબાઇલ નંબર ઘણા સમયથી ઈનઍક્ટિવ હોય અથવા ઉપયોગમાં લેવાતો ન હોય, અને આ નંબર યુપીઆઈ સાથે લિંક થયેલો હોય તો પહેલી એપ્રિલ અગાઉ તમારી બૅન્કને આ જાણકારી અપડેટ કરાવી દો. આવું કરવામાં નહીં આવે તો યુપીઆઈ પેમેન્ટનું ઍક્સેસ બંધ કરી દેવાશે.
ટૂંકમાં 1 એપ્રિલ, 2025થી બૅન્ક અને થર્ડ પાર્ટી યુપીઆઈ પ્રોવાઈડર્સ જેવા કે ફોનપે, ગૂગલપે વગેરે એ ઇનઍક્ટિવ મોબાઇલ નંબરો દૂર કરવા માટે ચોક્કસ નિયમો પાળવા પડશે.