આવકવેરામાં મોટી રાહત - જાણો કોણે કેટલો ફાયદો..

બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:08 IST)
. નાણાકીયમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કરતા મધ્યમ વર્ગના આવકવેરા દાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી.  તેમણે બજેટમાં કહ્યુ કે હવે 2.5થી 5 લાખ સુધીની આવકવાળાને અડધો જ ટેક્સ આપવો પડશે. આ સ્લેબમાં ટેક્સના દરને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. 
 
50 કરોડથી એક કરોડની આવકવાળા પર સરચાર્જ લગાવવામાં આવશે.  5 લાખથી વધુની આવક પર 12500 રૂપિયાનો ફાયદો થશે 
- જેટલીએ એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે હવે 3 લાખ રૂપિયા સુધીની આવકવાળાને ટેક્સ નહી ચુકવવો પડશે. જ્યારે કે 3 થી 3.5 લાખવાળાને 2500 રૂપિયા ટેક્સ લાગશે. 

વેબદુનિયા પર વાંચો