Train Insurance : માત્ર 35 પૈસામાં 10 લાખનો વીમો, ટિકટ કરાવતા સમયે રાખો આ વાતની કાળજી

સોમવાર, 5 જૂન 2023 (16:13 IST)
Train Insurance : ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે રેલ દુર્ઘટનામાં 275 લોકોની મોત થઈ જ્યારે 1100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુખદ ઘટના પછી લોકોએ એક વાર ફરીથી ટિકિટ બુકિંગ દ્વારા કરાતા વીમાની યાદ આવી. 
 
ટ્રેનનો ઑનલાઈન ટિકિટ બુક કરાવતા દરમિયાન IRCTC ની તરફથી યાત્રીઓને વીમા વિલ્પ પણ આપવામાં આવે છે. તેના હેઠણ માત્ર 35 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીના કવર આપવાના જોગવાઈ છે.. પણ મોટા ભાગે લોકો આ વીમાના વિક્લ્પના ચય્ન નથી કરતા. 
 
જો તમે પણ આ વીમાને લેવા ઈચ્છો છો તો તેના માટે ટિકિટ લેતા સમયે અપ્લાઈ કરવો પડે છે. ઑનલાઈઅ ટિકિટ બુકિંગ કરતા સમયે પણ ટ્રેવલ ઈંશ્યોરેંસનો વિક્લ્પ આવે છે. તેના માટે માત્ર 35 પૈસા આપવા પડે છે. તેના બદલે આઈઆરસીટીસી તમને 10 લાખ રૂપિયા સુધીનો કવર આપે છે. દરેક યાત્રીને ટિકિટ ખરીદતા સમયે આ ઈંશ્યોરેંસ જરૂર લેવા જોઈએ. 
 
કેવી રીતે કરવુ ક્લેમ - જો દુર્હ્ભાવ્યવશ તમે ટ્રેન દુર્ઘટનાના શિકાર થઈ જાઓ છો તો આ વીમા તમને અમે તમારા પરિવારના ખૂબ કામ આવી શકે છે. વીમી લેતા ટિકિટ બુક થતા જ ઈ-મેલ અને મેસેજથી એક ડોક્યુમેંટ મોકલાય છે. તેને ખોલીને નોમિનીની વિગત નાખવી પડે છે. જો આમ કરવામાં ન આવે તો આગળ વીમાના નાણાંનો દાવો કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.
 
 
 
ટ્રેન અકસ્માતના કિસ્સામાં, અસરગ્રસ્ત વ્યક્તિ અથવા નોમિની આ વીમાનો દાવો કરી શકે છે. આ માટે તેણે વીમા કંપનીની નજીકની ઓફિસમાં જઈને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડશે.
 
કેટ્લો મળે છે વીમા- જો ટ્રેન દુર્ઘટનામાં કોઈ મુસાફરની મૃત્યુ થઈ જાય છે કે તે સ્થાયી રૂપથી વિક્લાંગ થાય છે તો 10 લાખ રૂપિયા સુધીની વીમા રાશિ આપીએ છે. જો મુઆફર આંશિક રૂપથી વિક્લાંગ થઈ જાય છે તો 7.5 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવે છે. તેમજ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા પર 2 લાખ રૂપિયાની મદદ આપવામાં આવે છે. નાની ઇજાઓ માટે, મુસાફરોને 10,000 રૂપિયા સુધી મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર