દેશમાં વધતા પેટ્રોલ અને ડીઝલના રેટને લઈને સરકારે જાણો શુ આપ્યો જવાબ

મંગળવાર, 5 એપ્રિલ 2022 (19:11 IST)
દેશમાં મોંધવારી દિવસો દિવસ વધતી જઈ રહી છે અને તેનુ મૂળ કારણ વધતા પેટ્રોલ અને ડીઝલના રેટ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને સતત સરકારની આલોચના થઈ રહી છે. વિપક્ષી નેતા રસ્તાથી લઈને સંસદ સુધી આ મુદ્દાને જોરશોરથી ઉઠાવી રહ્યાં છે. આ વચ્ચે એકવાર ફરી સરકાર તરફથી ઈંધણની વધતી કિંમતને લઈને સફાઈ આપવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં દાવો કર્યો કે બાકી દેશોના મુકાબલે ભારતમાં તેલના ભાવમાં ખુબ ઓછો વધારો થયો છે. 

 
તેલની વધતી કિંમતો પર સરકારનો બચાવ કરતા પેટ્રોલિયમ મંત્રી પુરીએ કહ્યુ કે, દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારતમાં ઈંધણના ભાવ 1/10 વધ્યા છે. જો એપ્રિલ 2021થી લઈને માર્ચ 2022 સુધી કિંમતોની તુલના કરીએ તો અમેરિકામાં 51%, કેનેડામાં 52%, યૂકેમાં 55%, ફ્રાન્સમાં 50%, સ્પેનમાં 58% ભાવ વધારો થયો છે. પરંતુ ભારતમાં માત્ર 5% ભાવ વધ્યા છે
 
તેલની વધતી કિંમતો પર સરકારનો બચાવ કરતા પેટ્રોલિયમ મંત્રી પુરીએ કહ્યું કે, વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેલની કિંમતમાં 1/10નો વધારો થયો છે. જો આપણે એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીના તેલની કિંમતોની સરખામણી કરીએ તો અમેરિકામાં 51%, કેનેડામાં 52%, યુકેમાં 55%, ફ્રાન્સમાં 50%, સ્પેનમાં 58% વધારો થયો છે. પરંતુ ભારતમાં કિંમતોમાં માત્ર 5%નો વધારો થયો છે.
 
સંસદમાં વિપક્ષનો હોબાળો
 
પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની વધતી કિંમતોને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષના નેતાઓએ ઘણી વખત સંસદમાં આ મુદ્દે ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ ચર્ચા થઈ રહી નથી. જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી પણ પ્રભાવિત થઈ રહી છે. વિપક્ષના નેતાઓ મોંઘવારી અને તેલની કિંમતોને લઈને સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી સુધી સરકારે તેલના ભાવ વધવા દીધા ન હતા અને હવે જનતાના ખિસ્સા સતત ખાલી કરવામાં આવી રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર