આજથી ચાલશે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ અનારક્ષિત એક્સપ્રેસ ટ્રેન

ગુરુવાર, 21 જુલાઈ 2022 (08:22 IST)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન  તારીખ 21 જુલાઈ 2022થી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
 
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ - પાલનપુર - ગાંધીધામ દૈનિક એક્સપ્રેસ
 
ટ્રેન 19406 ગાંધીધામ - પાલનપુર એક્સપ્રેસ  તારીખ 21જુલાઈ 2022 થી રોજ સવારે 06:00 કલાકે ગાંધીધામથી ઉપડીને  તે જ દિવસે 12:40 કલાકે પાલનપુર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 19405 પાલનપુર - ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુર થી 13:10 કલાકે ઉપડીને તે જ દિવસે 19:50 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓ માં ભીમાસર, ચિરઈ, ભચાઉ, વોંધ, સામાખ્યાલી , લકડિયા, શિવલાખા, ચિરોડ, કિડિયાનાગર, પદમપુર, ભુટકિયા ભીમાસર, આડેસર, લખપત, પીપરાલા, ગરમડી, સાંતલપુર,છાંણસરા, વાઘપુરા, વારાહી, પીપળી,રાધનપુર,દેવગામ, ભાભર, મીઠા, દિયોદર, ધનકવાડા, જસાલી, ભીલડી, લોરવાડા, ડીસા અને ચંડીસર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એક કોચ એસી ચેર કાર (આરક્ષિત) અને 10 સામાન્ય વર્ગના બિનઆરક્ષિત કોચ હશે.
 
ટ્રેન નંબર 19406/19405 માટે એસી ચેર કારનું બુકિંગ 20મી જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલ્લું છે.
 
ટ્રેન નંબર 09405/09406 પાલનપુર-રાધનપુર-પાલનપુર સ્પેશિયલ પેસેન્જર ટ્રેનનું સંચાલન  કાયમ માટે બંધ થઇ જશે
 
ટ્રેનના સ્ટોપેજ, સમય, સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને  મુલાકાત લઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર