જો તમારી પાસે છે આધાર કાર્ડ અને બેંક એકાઉંટ તો તમને મળશે દર મહિને 3000 રૂપિયા

બુધવાર, 8 મે 2019 (16:44 IST)
પીએમ મોદીના અંતિમ બજેટમાં પીયૂષ ગોયલે પીએમ શ્રમ યોગી માનઘન યોજના વિશે જાહેરાત કરી હતી.  સરકારની આ યોજના શરૂ થઈ રહી છે.  આ યોજનામાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલ લોકોને સરકાર તરફથી દર મહિને પેશન આપવામાં આવશે.  સરકારે આ યોજના માટે શરતો રજુ કરી દીધી છે. 
 
દર મહિને મળશે 3000 રૂપિયા 
 
ઉલ્લેખનીય છેકે આ યોજનામાં 60 વર્ષની વય પછી 3000 રૂપિયા દર મહિને પેશન આપવામાં આવશે.  સરકારે આ યોજનાની અધિસૂચના પણ રજુ કરી દીધી ક હ્હે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરૂવારે માહિતી આપતા જણાવ્યુ કે આ યોજનાને અસંગઠિત ક્ષેત્રના લગભગ 42 કરોડ લોકોને લાભ થશે. 
 
આ લોકોને નહી મળે લાભ 
 
આ યોજનાનો લાભ લેવા માટે કામગરની વય 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.  જો કોઈ વય્ક્તિ પહેલાથી જ કેન્દ્ર સરકારની મદદવાળી કોઈ અન્ય પેશન સ્કીમનો લાભ લઈ રહ્યો છે તો તે આ યોજનાનો લાભ નહી લઈ શકે. 
 
માહિતી માટે અહી કરો સંપર્ક 
 
ઉલ્લેખનીય છે કે જો તમે આ યોજના સાથે જોડાવવ માંગો છો તો તમને નિકટના કૉમન સર્વિસ સેંટરમાં આધાર કાર્ડ અને બચત/જન-ધન ખાતાના દસ્તાવેજ સાથે જવુ પડશે. બીજી બાજુ વધુ માહિતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રમ કાર્યાલયો અને એલઆઈસી કેન્દ્રો સાથે સંપર્ક કરી શકો છો. 
 
આ લોકોને થશે લાભ 
 
સરકાર તરફથી આ યોજના લારી લગાવનારા, રિક્ષા ચલાવનારા, નિર્માણ કાર્ય કરનારા મજૂર, કચરો વીણનારા, બીડી બનાવનારા, હાથકરઘો, કૃષિ કામગાર, મોચી, ધોબી, ચામડા કામગાર જેવા લોકો માટ છે. આ યોજનામાં સરકારે નાના અને અસંગઠિત ક્ષેત્રના લોકોને સામેલ કરશે. 
 
આધાર અને બેંક એકાઉંટ હોવુ જરૂરી 
 
આ યોજનાનો ફાયદો લેનારા લોકોની ઈનકમ 15000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ જે વય્ક્તિને તેનો લાભ લેવાનો છે તેને પાસે સેવિંગ બેંક એકાઉંટ અને આધાર નંબર હોવો જરૂરી છે. આ યોજનામાં 18 વર્ષના લોકોને 55 રૂપિયા માસિક રાશિ જમા કરવી પડશે અને તેટલી જ રકમ નુ યોગદાન કરવુ પડશે. જ્યારે કે 40 વર્ષની આયુના વ્યક્તિને યોજના અપનાવતા 200 રૂપિયા દર મહિને જમા કરવા પડશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર