અમદાવાદ પૂર્વના પ્રશ્નોને લઈને દિનેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, 66 વર્ષથી દેશની જનતાના સેવક નહીં માલિકો બનીને બેસી ગયા છે. છેલ્લા કેટલાય વર્ષથી ભાજપના હાથમાં ગુજરાતની કમાન છે પરંતુ અા વિસ્તારના ઉમેદવારો પ્રજા તરફ ધ્યાન આપતાં નથી.વધુમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાથી મલેલી સરકાર છે.
પૂર્વના પ્રશ્નો અંગેની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશનમાં આવતાં અને ગાંધીનગરથી 11 કિ.મી.ના અંતરે આવેલ મુઠીયા ગામમાં મોટાખાડા ખૈયાવાળા રસ્તાઓ, આરોગ્યના પ્રશ્નોમાં ખુલ્લી ગટરો, લાલ પાણી, ગટર અને ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી જે પીવા લાયક પાણીની પાઈલલાઈન સાથે ભળી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના જનતાએ મારી સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારો અમને ડરાવી ધમકાવીને વોટ મેળવે છે.
આ જ બેઠક પર ભાજપનાે ગઢ ગણવામાં આવે છે પરંતુ પૂર્વ સાંસદ હરીન પાઠકને નારાજ કરીને આ સીટ પરેશ રાવલને આપવામાં આવી છે. આથી પૂર્વ સાંસદ અને તેના સાથી કાર્યકરોમાં પાર્ટી પ્રત્યે અસંતોષ દેખાઈ રહ્યાે છે. જો કે પ્રજાના પ્રશ્નો આ વિસ્તારમાં એવાને એવા જ છે. પ્રજાની રાવ છે કે આ વિસ્તારના સાંસદો એમનું સાંભળતા નથી. હવે દેખવાનું છે કે પ્રજા વિજયકળશ કોનો પર ઢોળે છે.