સુહાગરાત મનાવીને ભાગ્યો દુલ્હો!

સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (10:48 IST)
-  પાંચ મિનિટમાં આવુ છુ પણ તે 24 કલાક  થયા પછી પણ પરત આવ્યો નહી
- બૈરિયાના એક એટીએમમાંથી ચાલીસ હજાર રૂપિયા કાઢ્યા
- માનસિક તણાવને કારણે ઘરેથી ભાગી ગયો 

Bihar News: બિહારમાં સુહાગરાત પછી વરરાજા ગાયબ થઈ ગયા. વરરાજાએ સુહાગરાત મનાવી અને ઘરમાં એવુ કહીને ગયો કે પાંચ મિનિટમાં આવુ છુ પણ તે 24 કલાક  થયા પછી પણ પરત આવ્યો નહી. હેરાન પરેશાન નઈ નવેલી દુલ્હન અને પરિવારના લોકોએ પોલીસને સૂચના આપી. જ્યારબાદ ગાયબ વરરાજાની શોધ શરૂ થઈ. 
 
સુહાગરાત પછી વરરાજા અચાનક ગાયબ 
પોલીસે તપાસ શરૂ કરી તો જાણ થઈ કે વરરાજા આદિત્યએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કર્યોછે. આસપાસ લાગેલા સીસીટીવી કેમરામાં તપાસ કરવામાં આવી તો પોલીસને એક પુરાવો મળ્યો. ઘરમાંથી ગાયબ થયા બાદ યુવકે જ બૈરિયાના એક એટીએમમાંથી ચાલીસ હજાર રૂપિયા કાઢ્યા હતા. જેનો પુરાવો પણ પોલીસને સીસીટીવી ફુટેજમાંથી મળ્યો. 
 
બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો 
સર્વેલન્સની મદદથી પોલીસે શાહબાઝપુરના રહેવાસી આદિત્યને અરાહમાં એક ટ્રેનમાંથી પકડી લીધો. આદિત્ય બેંગ્લોર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. વરરાજા આદિત્ય બેંકમાં નોકરી કરે છે. સ્વસ્થ થયા બાદ આદિત્યએ પોલીસને જણાવ્યું કે તે અંગત કારણોસર અને માનસિક તણાવને કારણે ઘરેથી ભાગી ગયો હતો.
 
મોબાઈલ લોકેશન પરથી ઝડપાયો  યુવક 
વાસ્તવમાં લગ્ન બાદ ગુમ થયેલા શાહી આદિત્ય ઉર્ફે શુભમના લગ્ન બોચાહા પોલીસ સ્ટેશનના મજૌલીમાં 4 ફેબ્રુઆરીએ થયા હતા. લગ્ન બાદ દુલ્હનને વિદાય કરીને મુઝફ્ફરપુર લાવવામાં આવી હતી. લગ્નના બીજા દિવસે રાત્રે વરરાજા ગુમ થયો હતો. વરરાજાના મળી જતા બંને પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર