હવે વધારે સારૂ પ્રદર્શન કરવું પડશે- યુવરાજ

ભાષા

શનિવાર, 16 ઑગસ્ટ 2008 (13:18 IST)
શ્રીલંકા એકાદશની વિરુદ્ધ અભ્યાસ મેચમાં 172 રનની જોરદાર ભાગીદારી કરનાર ભારતીય ટીમના ઉપકેપ્ટન યુવરાજસિંહે આગામી વન ડે શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરવાનો વિશ્વાસ અપ્યો હતો.

યુવરાજે કહ્યું કે મુથૈયા મુરલીધરન અને અંજતા મેડિસ જેવા સ્પીનરોનો સામનો કરવા માટે વધારે સારૂ પ્રદર્શન કરવું પડશે.

તેમણે કહ્યું હતું કે હું શ્રીલંકામાં ઘણી આશાઓ લઈને આવ્યો છું. હુ મારા પાછલાં પ્રદર્શન કરતાં વધારે સારૂ પ્રદર્શન કરવા માંગુ છું. જે રીતે મે શરૂઆત કરી છે તેનાથી હુ ખુશ છુ. હુ આજની અભ્યાસ મેચ બદ પોતાની અંદર આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું.

આ ભારતીય ઉપકેપ્ટનનું માનવું છે કે મેડિસના આવવાથી શ્રીલંકાની બોલીંગ ખુબ જ ખતરનાક થઈ ગઈ છે અને ટીમને આ સ્પિન આક્રમણની વિરુદ્ધ સાચે જ સારૂ એવું પ્રદર્શન કરવું પડશે.

વેબદુનિયા પર વાંચો