એમ એસ ધોનીના સંન્યાસની અફવાહો પર પત્ની સાક્ષીએ ફક્ત ત્રણ શબ્દોમાં આપ્યો જવાબ

શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (18:29 IST)
એમએસ ધોનીના સંન્યાસની અફવાહોએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી હતી. જેના પર તેમની પત્ની સાક્ષી ધોનીએ ટ્વિટર પર ફક્ત ત્રણ શબ્દોમાં પોસ્ટ કરતા એ બધી અફવાહો પર વિરામ લગાવી દીધુ જેણે ફેન વચ્ચે હલચલ મચાવી હતી.

વિરાટ કોહલીએ ગુરૂવારે 2016 ટી 20 વર્લ્ડ કપની એક જૂની તસ્વીર શેયર કરતા એ મેચમાં ધોનીની બેટિંગ યાદ કરી હતી.

આ તસ્વીરને જોતા જોત જોતામાં સોશિયલ મીડિયા પર એ મેસેજ સાથે વાયર્લ કરવામાં આવી કે આજે સાંજે 7 વાગ્યે પ્રેસ કોંફરેંસ કરીને ધોની સંન્યાસનુ એલાન કરવા જઈ રહ્યા છે.

પણ ધોનીની પત્ની સાક્ષીએ ટ્વિટર પર આ અફવાહો વિશે લખ્યુ કે આને અફવા કહે છે.

Its called rumours !

— Sakshi Singh

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર