ફરહાન અખ્તર અને અધૂનાના 15 વર્ષના લગ્નજીવનનો અંત, અલગ થવાનો લીધો નિર્ણય

શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (12:32 IST)
કલાકાર અને નિર્દેશક ફરહાન અખ્તર અને તેમની પત્ની અધૂના અખ્તરે જુદા થવાનો નિર્ણય કર્યો છે. 
બંને મીડિયામા રજુ પોતાના નિવેદનમાં કહ્યુ, "અમે પરસ્પર સહમિથી જુદા થવાનો નિર્ણય કર્યો છે. અમારે માટે અમારા બાળકો પ્રથમ પ્રાથમિકતા છે અને આ ખૂબ જરૂરી છે કે અમે તેમને વણમાંગી પબ્લિસિટી અને અટકળોથી બચાવીએ. અમે તમને અનુરોધ કરીએ છીએ કે અમને પ્રાઈવેસી આપવામાં આવે જેથી અમે ગરિમાપૂર્વક આગળ વધી શકીએ."
 
તાજેતરમાં જ ફરહાન અખ્તરની ફિલ્મ વજીર રજુ થઈ હતી જેમા અમિતાભ બચ્ચન અને અદિતિ રાવ હૈદરીની પણ મુખ્ય ભૂમિકા હતી. 
 
ફરહાન અને અધૂનાની બે પુત્રીઓ છે. 
 
અધુના હેયર સ્ટાયલિસ્ટ છે અને એક નિર્દેશકના રૂપમાં ફરહાનની પ્રથમ ફિલ્મ દિલ ચાહતા હૈ  દ્વારા તેણે પણ બોલીવુડમાં હેયર સ્ટાયલિસ્ટના રૂપમાં પોતાનુ કેરિયર શરૂ કર્યુ હતુ. 
 
ત્યારબદ તે ફરહાનની ફિલ્મો સહિત અનેક વધુ ફિલ્મોમાં હેયર સ્ટાયલિસ્ટના રૂપમાં કામ કર ચુકી છે. 

વેબદુનિયા પર વાંચો