જાણીતા ફિલ્મકાર દિબાકર બેનર્જી, આનંદ પટવર્ધન અને 11 અન્ય લોકોએ બુઘવારે એફટીઆઈઆઈના આંદોલનકારી વિદ્યાર્થીઓની સાથે એકજૂટતા પ્રકટ કરતા અને દેશમાં વધતી અસહિષ્ણુતાના વિરોધમાં પોતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પરત કર્યો. બેનર્જી અને અન્ય ફિલ્મકારોએ કહ્યુ કે તેમણે વિદ્યાર્થીઓના મુદ્દના નિવારણ અને ચર્ચા વિરુદ્ધ અસહિષ્ણુતાનુ વાતાવરણ દૂર કરવામાં સરકાર તરફથી બતાવેલ ઉદાસીનતાને ધ્યાનમાં રાખતા આ પગલા ઉઠાવ્યા છે.
બેનર્જીએ કહ્યુ, હુ ગુસ્સા અને આક્રોશમાં અહી નથી આવ્યો. આ ભાવનાઓ મારી અંદર લાંબા સમયથી છે. હુ અહી તમારુ ધ્યાન ખેંચવા માટે શુ. ખોસલા કા ઘોસલા માટે મળેલ પોતાનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પરત કરવો એટલુ સરળ નથી. આ મારી પ્રથમ ફિલ્મ હતી અને ઘણા બધા લોકો માટે મારી પસંદગીની ફિલ્મ હતી.