Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

શુક્રવાર, 25 એપ્રિલ 2025 (12:55 IST)
pradosh

Shukra Pradosh Vrat 2025: શુક્રવારના દિવસે આવનારી તેરસને શુક્ર પ્રદોષ વ્રતના નામથી ઓળખવામાં આવે છે. શુક્ર પ્રદોષ વ્રત સુખ, સૌભાગ્ય , ધન અને સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે. શુક્ર પ્રદોષ વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે અને શત્રુઓ પર વિજય  પ્રાપ્ત થાય છે.  
 
આ સાથે જ જીવનના બધા સંકટોથી છુટકારો મળે છે. બીજી બાજુ ખાસ રૂપે આ વ્રતને વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ માટે કરે છે. આજે 25 એપ્રિલ 2025નુ શુક્ર પ્રદોષ વ્રત છે. આવો જાણીએ પ્રદોષ કાળ પૂજા મુહૂર્ત અને આ દિવસે શુ કરવુ જોઈએ.  
 
શુક્ર પ્રદોષ વ્રત મુહુર્ત 
 
વૈશાખ મહિનના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત 25 એપ્રિલના રોજ સવારે 11.44 મિનિટ પર થશે. જેનુ સમાપન 26 એપ્રિલના રોજ સવારે 8 વાગીને 27 મિનિટ પર છે. તેથી 25 એપ્રિલના રોજ પ્રદોષ વ્રત કરવામાં આવી રહ્યુ છે.  
 
પૂજા મુહૂર્ત - સાંજે 6.53 - રાત્રે 9.03 

શુક્ર પ્રદોષ વ્રત પૂજા વિધિ 
 
શાસ્ત્રો મુજબ સમસ્ત આર્થિક સંકટોથી મુક્તિ મેળવવા માટે શુક્ર પ્રદોષ વ્રત જરૂર કરવુ જોઈએ.  
 
- કર્જથી છુટકારો મેળવવો છે તો આ દિવસે પ્રદોષ કાળમાં શિવલિંગ પર દૂધ અને મઘથી અભિષેક કરો. તેનાથી ધનની પરેશાનીઓથી રાહત મળવા   ઉપરાંત મોક્ષ પણ પ્રાપ્ત થશે.  
- શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને ઘી અને ખાંડ ભેળવેલ સત્તુનો ભોગ લગાવો. .
- આઠ દિવા આઠ દિશાઓમાં પ્રગટાવો. તેનાથી મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. 
 
શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ વસ્તુઓ
 
 આ દિવસે ઘરે પારદનુ શિવલિંગ પણ લાવવુ જોઈએ. આ શિવલિંગ ચાંદી અને પારા ઘાતુથી નિર્મિત હોય છે. શાસ્ત્રોમા તેને ખૂબ જ પવિત્ર શિવલિંગનો દરજ્જો મળ્યો છે. એવુ માનવામાં આવે છે કે જે ઘરમા પારદ શિવલિંગ સ્થાપિત હોય ત્યા સાક્ષાત ભોલેનાથ નિવાસ કરે છે. આ સ્થાન પર માતા લક્ષ્મીઅને કુબેરનો પણ વાસ હોય છે. તેમની કૃપાથી ધનની વૃદ્ધિ થાય છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર