આવો જાણીએ કેદારનાથ સાથે જોડાયેલ આ રોચક કથા વિશે..
ધાર્મિક ગ્રથોમાં વર્ણિત કથા મુજબ મહાભારત યુદ્ધમાં વિજય પછી, પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરનો હસ્તિનાપુરના રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ યુધિષ્ઠિરે લગભગ ચાર દાયકા સુધી હસ્તિનાપુર પર શાસન કર્યું. આ સમય દરમિયાન, એક દિવસ પાંચ પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે બેસીને મહાભારત યુદ્ધની સમીક્ષા કરી રહ્યા હતા. સમીક્ષામાં, પાંડવોએ શ્રીકૃષ્ણને કહ્યું, હે નારાયણ, બ્રહ્મહત્યાની સાથે પોતાના ભાઈઓનો વધ કરવો એ અમારા બધા ભાઈઓ પર કલંક છે.