નીલામી પ્રક્રિયાથી અલગ રહેશે પીસીબી

વાર્તા

શુક્રવાર, 19 ડિસેમ્બર 2008 (17:26 IST)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના અનુભવોથી શીખ લઈને આપીએલ માટે ખેલાડીઓની નીલામી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જનાવ્યુ કે અમે નથી ઈચ્છતા કે આ નીલામીમા પીસીબી રસ ધરાવે છે એવા આક્ષેપો અમારી પર થાય.

ઉલ્લેખનીય છે પીસીબીના પૂર્વ અધ્યક્ષ નસીમ અશરફ પર ઝડપી બોલર શોએબ અખ્તર સહિત અન્ય ખેલાડીઓએ આઈપીએલની નીલામીમાં પોતાનો ફાયદો કરવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે અશરફને માફી પણ માંગવી પડી હતી.માટે હાલના અધ્યક્ષ એઝાઝ બટ એવું વાતાવરણ ફરી ઉભુ કરવા ઈચ્છતા નથી.તેથી તેઓ આ નીલામી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો