ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ લોકોમાં આક્રોશની ભાવના જોવા મળી હતી. દેશમાં ઠેર-ઠેર ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી ચાઇનીઝ વ્યંજનોના નામ પણ બદલી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરનાર વ્યક્તિને ફ્રીમાં જલેબી અને સુકા મેવા આપવામાં આવી રહ્યા છે.
લોકોમાં ચીન વિરૂદ્ધ વિરૂદ્ધ આક્રોશની ભાવના ફેલાયેલી છે, તો બીજી તરફ અમદાવાદના ચાંદખેડાના એક પરિવારે ચીની પર વિશ્વાસ કરીને પોતાની પુત્રીના લગ્ન ચીની વ્યક્તિ સાથે કરાવ્યા છે. હાલ લોકડાઉનમાં ચીની જમાઇ ચીન પરત જઇ શકતો નથી જેથી અમદાવાદમાં મહેમાન બનીને બેસ્યો છે.
પલ્લવીના પરિવારજનો આ લગ્નને માની લીધા હતા. પરિવારના સભ્યોની સ્વિકૃતિ પહેલાં પલ્લવીએ મા હાઇકો સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. પલ્લવી ચાઇનીઝ ભાષામાં અનુવાદ અને (વ્યાખ્યાન આપવું) ઇન્ટરપિટેશનનું કાર્ય કરે છે. વર્ષ 2016માં પલ્લવીને આંધ્ર પ્રદેશમાં સ્થિત શ્રી સિટીમાં ઓપ્પો મોબાઇલ કંપનીમાં ઇન્ટરપીટેશનનું કામ મળ્યું હતું.