ચૂંટણી પંચનાં નિર્દેશ પર ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં જિલ્લા પ્રશાસને આઝમ ખાન વિરુધ્ધ પોલીસ કેસ નોંધાવ્યો છે. કારગિલ યુધ્ધ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવા બાબતે ચૂંટણી પંચનાં આદેશ મુજબ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નોંધનીય છે કે ગઇ કાલે જ ચૂંટણી પંચે આઝમ ખાનને ચૂંટણી સભા અને રેલીઓ સંબોંધવા પર પ્રતિબંધ મુક્યા બાદ આજે ફરિયાદ નોંધવામાં આવી છે.
આઝમ ખાને 8 એપ્રિલે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર નાહિદ હસનનાં સમર્થનમાં રેલીને સંબોંધિત કરતા કહ્યુ હતુ કે કારગિલ યુદ્ધ મુસ્લિમ સૈનિકોને કારણે જીતવામાં આવ્યુ છે. આઝમનાં આ નિવેદનનો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો. અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી.