શુ લખ્યુ ફેસબુક પોસ્ટમાં ?
અમૃતાએ ફેસબુક પોસ્ટમાં દિગ્વિજય સિંહ અને પોતાના વયના અંતર પર સ્પષ્ટતા આપી છે. એ પણ લખ્યુ છે કે તે આત્મનિર્ભર મહિલા છે અને તેને દિગ્વિજય સિંહની સંપત્તિમાંથી કશુ નથી જોઈતુ. અમૃતાએ રવિવારે સવારે કરેલી પોસ્ટમાં લખ્યુ, "છેલ્લા કેટલાક દિવસ માટે માટે ખૂબ મુશ્કેલીભર્યા રહ્યા છે. હુ સાઈબર ક્રાઈમની વિકટીમ હતી પણ મને જ આરોપીના રૂપમાં રજુ કરવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરવામાં આવી રહ્યુ હતુ. હુ આભારી છુ એ લોકોની જેમણે મારો આ અવસ્થામાં સાથ નહી છોડ્યો. લોકો મારી અને દિગ્વિજય સિંહની વયને લઈને વાત કરી રહ્યા હતા. હુ એક સમજદાર અને મેચ્યોર સ્ત્રી છુ. જેને પોતાનુ સારુ ખરાબ ખબર છે. મને મારા નિર્ણયના સારા ખરાબ વિશે બધુ ખબર છે. મે ખુદ ખૂબ મહેનત કરીને મારા વ્યવસાયમાં એક સ્થાન બનાવ્યુ છે. મને દિગ્વિજય સિંહની સંપત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. હુ તેમને પ્રેમ કરુ છુ અને ફક્ત આ જ કારણે મે લગ્ન કર્યા છે. હુ ઈચ્છુ છુ કે તેઓ પોતાની બધી સંપત્તિ પુત્ર અને પુત્રીઓને નામે કરી દે."