વધુ 15 સ્ટેશનો પર કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટોના કેન્સલેશનની સુવિધા શરૂ

ગુરુવાર, 8 જુલાઈ 2021 (11:02 IST)
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વર્તમાનમાં ફક્ત અમદાવાદ સ્ટેશન પર કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટોના કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ છે, મુસાફરોની સુવિધા માટે મંડળ પ્રશાસન દ્વારા વધુ 15 સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
 
મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, હવે મુસાફરો અમદાવાદ સિવાય મણિનગર, સાબરમતી (ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર સોમવારથી શનિવારે સવારે 08:00 વાગ્યેથી રાત્રે 20:00 વાગ્યે સુધી તથા રવિવારે સવારે 08:00 વાગ્યેથી બપોરે 14:00 વાગ્યે સુધી પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકશે. આ પછી, મુસાફરો યુટીએસ કાઉન્ટરથી ટિકિટ રદ કરી શકશે અને કરંટ બૂકિંગ સુવિધાનો લાભ લઈ શકશે.
 
કલોલ, ઊંઝા, સિદ્ધપુર, ધાંગધ્રા, વિરમગામ, ડીસા, સામાખ્યાલી, ભચાઉ અને ભીલડી સ્ટેશનો પર આ સુવિધા તમામ દિવસો પર સંપૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહેશે. ચાંદલોડીયા સ્ટેશન પર મુસાફરો તમામ દિવસો પર સવારે 08:00 વાગ્યેથી રાત્રે 21:30 વાગ્યે સુધી તથા પાટણ સ્ટેશન પર તમામ દિવસો પર સવારે 08:00 વાગ્યેથી રાત્રે 21:00 વાગ્યે સુધી તેમની અનામત ટિકિટ રદ કરી શકશે અને કરંટ કાઉન્ટર બુકિંગની સુવિધાનો લાભ લઈ શકશે.
 
9 જુલાઈથી અમદાવાદ - દરભંગા જનસાધરણ સ્પેશિયલ 15 મિનિટ મોડી ચાલશે
રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ અને દરભંગા વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 05560 અમદાવાદ – દરભંગા જનસાધારણ સ્પેશિયલનના 9 જુલાઈ 2021 થી અમદાવાદ ના પ્રસ્થાન સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે. આ ટ્રેન રાત્રે 20:50 વાગ્યે ને બદલે 15 મિનિટ મોડી 21:05 વાગ્યે દોડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર