રાજ્યમાં સતત વધા જતા કેસ સરકાર માટે એક મોટો પડકાર છે. રાજ્યમાં દરરોજ 1000 કરતાં વધુ કે નોંધાઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ વેપારીઓ ફરીથી લોકડાઉન તરફ વળ્યા છે તો કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા કલમ 144 લાગૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ઘણા ભાજપ અને કોંગ્રેસના કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. ત્યારે જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે.
સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલી રહી છે અને તેમની સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ સ્વસ્થ થાય તેવી પાર્થના કરી રહ્યા છે.