×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ડાકોરમાં દર્શન માટે પૂનમ અને દોલોત્સવ પ્રસંગે ખાસ સમય
ગુરુવાર, 13 માર્ચ 2014 (14:49 IST)
P.R
ફાગણ સુદ-૧૪ તા. ૧૫-૩-૨૦૧૪ને શનિવારના રોજ દર્શનના સમય સવારના: ૫.૦૦ વાગે ખૂલી ૫.૧૫ના અરસામાં મંગળાઆરતી થઈ ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮.૦૦ થી ૮.૩૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૨.૦૦ થી ૧૨.૪૫ સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૧૨.૪૫ થી બપોરના ૧.૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે, ત્યારબાદ શ્રીજીમહારાજ પોઢી જશે. ૪.૦૦ વાગે ઉથ્થાપન આરતી થઈ ૫.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૫.૩૦ થી ૫.૪૫ સુધી શ્રીજીમહારાજ શયનભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૫.૪૫ થી રાત્રીના ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. રાત્રીના: ૮.૦૦ થી ૮.૪૫ સુધી શ્રીજીમહારાજ સખડીભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૮.૪૫ થી દર્શન ખૂલી ત્યારબાદ અનુકુળતા મુજબ દર્શન થશે. શ્રીજીમહારાજ પોઢી જશે.
નિજમંદિર પ્રવેશ બંધ રહેશે. તારીખ ૧૫-૩-૨૦૧૪ થી ૧૭-૩-૨૦૧૪ સુધી બહારના રાજભોગ, ગાયપૂજા, તેમ જ તુલા બંધ રાખેલ છે. તારીખ ૧૫-૩-૨૦૧૪ આખો દિવસ, તારીખ ૧૬-૩-૨૦૧૪ આખો દિવસ પરિક્રમા બંધ રહેશે. અને તારીખ ૧૭-૩-૨૦૧૪ના રોજ બપોરના ૩.૩૦ સુધી પરિક્રમા બંધ રહેશે. તારીખ ૧૫-૩-૨૦૧૪, તારીખ ૧૬-૩-૨૦૧૪, તારીખ ૧૭-૩-૨૦૧૪ સમાધાનની પ્રસાદી મેનેજરશ્રીના બંગલે, ગોમતી કિનારે શ્રી લક્ષ્મીજી મંદિરમાં શ્રીજીની ગૌશાળામાં ખેડાવાલની ખડકી પાસેથી મળશે. રામઢોલ લઈ ધજા સાથે મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ છે જેથી રામઢોલ બહાર યોગ્ય જગ્યાએ મુકીને ધજા લઈ મંદિરમાં પ્રવેશદ્વારની જમણી બાજુએ ધજા કેન્દ્ર ઉપર પોતાની ધજા આપવી. આગામી ચૈત્રસુદ પૂનમ તારીખ ૧૫-૪-૨૦૧૪ને મંગળવારના રોજની છે.
ફાગણ સુદ-૧૫ (પૂનમ) તા. ૧૬-૩-૨૦૧૪ને રવિવારના રોજ દર્શનના સમય સવારના: ૪.૦૦ વાગે નિજમંદિર ખૂલી ૪.૧૫ વાગે મંગળા આરતીના દર્શન થઈ ૭.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૭.૩૦ થી ૮.૦૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૮.૦૦ થી ૨.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના: ૨.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૩.૩૦ થી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજના: ૫.૩૦ થી ૬.૦૦ સુધી દર્શન બંધ રહેશે. (શ્રીજીમહારાજ પોઢી જશે). ૬.૦૦ થી ઉથ્થાપન આરતી થઈ રાત્રીના ૮.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. રાત્રીના: ૮.૦૦ થી ૮.૧૫ વાગ્યા સુધી શ્રીજીમહારાજ શયનભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૮.૧૫ થી ખુલી નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડીભોગ આરોગી શ્રીજીમહારાજ અનુકુળતાએ પોઢી જશે.
ફાગણ વદ-૧ (દોલોત્સવ) તારીખ ૧૭-૩-૨૦૧૪ ને સોમવારના રોજ દર્શનના સમય સવારના: ૫.૦૦ વાગે ખૂલી ૫.૧૫ વાગે મંગળાઆરતી થઈ. ૮.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી શ્રીજીમહારાજ બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ બંધબારણે આરોગવા બિરાજશે, દર્શન બંધ રહેશે. ૯.૦૦ થી ૧.૩૦ વાગ્યા સુધી શ્રી ગોપાલ લાલજીમહારાજ ફૂલદોલમાં બિરાજશે. ૧.૩૦ થી ૩.૩૦ સુધી શ્રીજીમહારાજ રાજભોગ આરોગવા બિરાજશે. દર્શન બંધ રહેશે. ૩.૩૦ થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજના:- ૪.૩૦ થી ૫.૦૦ સુધી દર્શન બંધ રહેશે. (શ્રીજીમહારાજ પોઢી જશે) ૫.૦૦ વાગે નિજમંદિર ખૂલી ૫.૧૫ વાગે ઉથ્થાપન આરતી થઈ નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રીજીમહારાજ પોઢી જશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સાવધાન! ચોમાસાની ઋતુમાં આ શાકભાજી ખાવા ખૂબ જ છે ખતરનાક જાણો કયા vegetables ખાવા જોઈએ?
પરણેલા પુરૂષોને બીજાની પત્ની કેમ વધુ સારી લાગે છે ? ચાણક્ય નીતિથી જાણી જશો કારણ તો ચોંકી જશો
શ્રીમદ્ભાગવત ગીતાના શ્લોક પરથી તમારી દીકરીનું નામ રાખો, તમારી દીકરીનું ભાગ્ય તારાની જેમ ચમકશે
હું આગળ વધતી જાઉં.
સરગવાના પાંદડામાં છુપાયો છે પોષક તત્વોનો ખજાનો, જાણો તે કયા રોગો માટે અમૃત સમાન છે?
નવીનતમ
ગુરુગ્રામમાં બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, માંડ માંડ બચ્યો જીવ
DDLJ ના 30 વર્ષ - કાજોલે શૂટિંગ દરમિયાન અનોખા અનુભવો શેર કર્યા
ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
Gujarat one day trip - રાજપીપળા ના જોવાલાયક સ્થળો
કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર આતંકવાદીએ અંધાધૂંધ કર્યો ગોળીબાર, આરોપી આ વાતથી હતો નારાજ
એપમાં જુઓ
x