લડાયક મિજાજના હાર્દિક પટેલ સામે સરકારે રાજદ્રોહ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરેલ. નવ માસના જેલવાસ બાદ તાજેતરમાં જેલમાંથી જામીનમુકત થયેલ હાર્દિક પટેલે જબ્બર રોડ-શો કરી બે દિવસમાં લાખો પાટીદારોને મળેલ. તા.20ને બુધવારના રોજ હાર્દિક પટેલ ભલે ગુજરાત ન હોય પરંતુ સમગ્ર રાજયમાં હાર્દિકના જન્મોત્સવની હાર્દિક ઉજવણી કરવાના આયોજન કરવામાં આવ્યા છે.
રાજકોટ અનામત આંદોલનના બ્રિજેશ પટેલે અકિલાને જણાવેલ કે હાર્દિક પટેલના જન્મદિને પડધરીના રામપરા ગામે 500 વૃક્ષોનુ વૃક્ષારોપણ થશે ઉપરાંત ત્રંબાના માનવ મંદિરે તેમજ રાજકોટના સ્નેહ નિર્જન સંસ્થામાં ભોજન કરાવવામાં આવશે. સુરત, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ઉંઝા સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવશે.