ભારતીય વાયુસેનાના ઉપ પ્રમુખ રહેશે એર માર્શલ સંદીપ સિંહ

શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (17:03 IST)
ભારતીય વાયુસેના (Indian Air Force) ના નવા ઉપ પ્રમુખ એર માર્શલ સંદીપ સિંહ   (Air Marshal Sandeep Singh) રહેશે. તેઓ એર માર્શલ વી આર ચૌધરીનું સ્થાન લેશે, જેઓ  30 સપ્ટેમ્બરના રોજ એર સ્ટાફના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાનુ સ્થના લેશે. હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આ પછી, એર માર્શલ વી આર ચૌધરીને વાયુસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. વી આર ચૌધરીએ 1 ઓક્ટોબરના રોજ ચાર્જ સંભાળશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર