બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રવિવાર, 27 ઑક્ટોબર 2024 (09:50 IST)
Stampede mumbai badra terminals- મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 9 જેટલા લોકો ઘાયલ થયા હતા.

જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. આ ઘટના આજે સવારે 3 વાગ્યે બની હતી. જ્યારે લોકો સવારે પાંચ વાગ્યે મુંબઈથી યુપીના ગોરખપુર જતી ટ્રેનમાં ચઢી રહ્યા હતા. આ અકસ્માતના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ તમામ ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર