અમદાવાદની કોલેજોની દિવાલો પર લવ જેહાદથી સાવધાનના લખાણો લખાયાં

સોમવાર, 3 એપ્રિલ 2017 (17:27 IST)
લવ જેહાદનો મુદ્દો ફરીવાર હવામાં આવી રહ્યો છે. એક તરફ ઉત્તર પ્રદેશમાં યોગીજીની સરકારે એન્ટી રોમિયો સ્કવોડ રચીને ભારે કરી છે તો બીજી બાજુ ગુજરાતમાં પણ લવજેહાદનો મુદ્દો ફરીવાર હવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરનાં ગુજરાત યુનિવર્સિટી, ભવન્સ કોલેજ, કોંગ્રેસ ભવન, ગુજરાત કોલેજ જેવાં વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે દીવાલો પર 'બેટી બચાવો કોનાથી' તેમન 'લવ જેહાદ'થી સાવધાન રહેવું તેવું લખવામાં આવ્યું હતું. લખાણ કોઈ રાજકીય પક્ષો દ્વારા લખાવવામા આ‌વ્યું હશે જેમાં કોઈએ ઉમેરો કરી દીધો છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો