રીઝર્વ બેંકે કહ્યુ છે કે, મની લોન્ડરો પાસેથી ખેડૂતો અને રૂરલ જનધન ખાતેદારોને બચાવવા માટે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવામા આવ્યો છે. રીઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતેદારને મહિનામા 10,000થી વધુનો ઉપાડ કરવો હશે તો તેઓએ પૈસાની જરૂરીયાતના યોગ્ય પુરાવાઓ આપવા પડશે તે પછી જ બેંક મેનેજર તેને 10,000 કરતા વધુનો ઉપાડ કરવાની પરવાનગી આપશે. જ્યારે મર્યાદીત કે કેવાયએસપી પૂર્ણ નહી કરનાર ખાતેદાર મહિનામાં એક વખત નવી નોટ હેઠળ રૂા. 5000નો ઉપાડ કરી શકશે. આ લીમીટ 9 નવેમ્બર 2016 બાદ જૂની કરન્સીના સ્વરૂપમાં જમા થઈ ગયેલી રકમ માટે છે. અત્રે નોંધનીય છે કે, જનધન ખાતાઓમાં અત્યાર સુધીમાં 72000 કરોડ રૂા. જમા થયા છે.