નવી દિલ્હી. નવા વર્ષથી રેલ મુસાફરોને દેશભરમાં બધી ટ્રેનોમાં વિકલ્પની સુવિદ્યા મળશે. આ સુવિદ્યા 1 જાન્યુઆરીથી લાગૂ થશે. આ યોજના હેઠળ તમારી વેટિંગ ટિકિટ જો એ ટ્રેનમાં કંફર્મ નથી થતી તો રેલ વિભાગ તમને ફોન કરી એ રૂટની બીજી ટ્રેનમાં ટિકિટ કંફર્મ કરવાની ઓફર કર્સહે. તમારી મંજુરી પછી એ બીજી ટ્રેનમાં તમારી બર્થ કંફર્મ કરી દેવામાં આવશે અને તેની માહિતી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એસએમએસ દ્વારા આપવામાં આવશે. આ સુવિદ્યા રહેશે ફ્રી ભારતીય રેલ તમને આ સુવિદ્યા મફત આપશે. મતલબ રેલવે આ માટે તમારી પાસેથી એક પણ રૂપિયો ચાર્જ નહી લે. બીજી બાજુ જો તમે રૂટની બીજી ટ્રેનમાં મુસાફરી કરવા માટે તૈયાર નથી તો તમે તમારી ટિકિટ કેંસલ કરાવી શકો ક હ્હો. આ નિર્ણયથી જ્યા એક બાજુ ટ્રેનમાં હવે વેટિંગ ટિકિટની સાથે મુસાફરી કરવાની પરેશાનીનો અંત આવી જશે તો બીજી બાજુ રેલવેને સારી કમાણી થવાની આશા છે.