રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે શાળામાં ભણતા હતાં ત્યાં ગુજરાત સરકારે મ્યુઝિયમ બનાવવાનો આદેશ આપ્યો છે. શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓને એલસી પણ આપી દેવામાં આવ્યાં છે. આ સ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા કોર્પોરેશન દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી. ત્યારે બજેટમાં તેના માટે રૂ. 10 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે.