લખનૌના ઠાકુરગંજમાં માર્યો ગયેલ ISIS આતંકી સમૂહનો સભ્ય સૈફુલ્લાહના પરિવારે તેનાથી કિનારો કરી લીધો છે. સૈફુલ્લાહના ભાઈ અને પિતા સરતાજ ખાને મીડિયાને નિવેદન આપ્યુ છે કે જે દેશનો નથી થઈ શકતો. તે મારો પુત્ર કેવી રીતે બની શકે. એટલુ જ નહી બંનેને સૈફીઉલ્લાહનુ શરીર લેવાની અને તેના અંતિમ સંસ્કાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.