અધિકારીએ કહ્યુ કે શરૂઆતની માહિતી મુજબ મરનારાઓની સંખ્યા ઓછામાં ઓછી 35 છે અને 28 લોકો ઘાયલ થયા છે. બગદાદના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ આંકડાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયના એક સૂત્રએ અપ્ણ આ હુમલા સાથે જોડાયેલ માહિતીઓની ચોખવટ કરી છે. તેમણે જણાવ્યુ કે આ હુમલો સ્થાનીક સમય મુજબ અડધી રાત પહેલા થયો. આ મૉલ ગયા વર્ષે જ ખુલ્યો હતો.