નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વધારો

વાર્તા

રવિવાર, 23 ડિસેમ્બર 2007 (12:20 IST)
ગાંધીનગર (વાર્તા) કેન્દ્રએ ગુજરાત સરકારને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જીવનને ખતરો હોવાથી તેમની સુરક્ષા કડક કરવાનું કહ્યું છે.

રાજ્ય સરકારના એક અધિકારીએ આ વિશે જાણ કરતાં કહ્યું હતું કે મોદી પર આત્મઘાતી હુમલો થવાની શક્યતાઓ છે તેવા સંદેશ મળ્યાં છે.

અધિકારીએ જણાવ્યું હતું કે મોદીની સુરક્ષા ઉચ્ચ સ્તરની છે પરંતુ આજે તેઓ જ્યાં પણ જશે ખાસ કરીને અમદાવાદના કાલુપુરમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય છે ત્યાંની સુરક્ષા કડક કરવામાં આવશે.

મોદીને જેડ પ્લસની સુરક્ષા મળેલ છે જ્યારે કે કેન્દ્ર તેમને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સુરક્ષા પુરી પાડશે. કેન્દ્ર તરફથી આ સંદેશ એવા સમયે મળ્યો છે જ્યારે કે રાજ્યમાં 12 મી વિધાનસભા માટે થયેલ ચુંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઈ.

વેબદુનિયા પર વાંચો