જેમ જેમ ચૂંટણી પ્રચાર ગતિ પકડી રહ્યુ છે તેમ તેમ સ્થાનિક મુદ્દા પણ ચર્ચામાંથી દૂર થઈ રહ્યા છે. હવે તો મુખ્ય માર્ગ અને ચાર રસ્તાઓ હોય કે ગલી મહોલ્લા હોય દરેક સ્થળે બેટા(રાહુલ), બહુ(સ્મૃતિ) અને વિશ્વાસ(આપ ઉમેદવાર)ની જ વાત થઈ રહી છે. રાહુલ ગાંધીનુ સંસદીય ક્ષેત્ર લગભગ 100 કિલોમીટરની હદમાં છે, પણ અમેઠી લોકસભા ક્ષેત્ર માત્ર એ માટે ચર્ચિત રહ્યુ છે, કારણ કે ગાંધી પરિવારના સભ્ય આ ક્ષેત્ર પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અમેઠીના લોકો નેહરુ-ગાંધી પરિવારને વર્ષોથી પોતાના માથે બેસાતી આવી છે. પણ આ પ્રેમ એકવાર ફરી ગડબડી રહ્યો છે. વર્ષ હતુ 1977 લોકો નારાજ હતા અને નેહરુ પરિવારને પણ આ વાતની જાણ નહોતી કે આગામી 25 મહિના સુધી તેમને વનવાસ ભોગવવો પડશે. 18 મહિનાની ઈમરજેંસી અને 28 મહિનાનો વનવાસ. વર્ષ 1977ની સામાન્ય ચૂંટણીમાં આ સીટ પરથી સંજય ગાંધીને પરાજયનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ 1980ના લોકસભા ચૂંટણીમાં સંજય ગાંધી અમેઠી સંસદીય સીટ પરથી લોકસભા માટે પસંદગી પામ્યા.