રાજનાથની નજર લખનૌ પર, લાલજી ટંડન બોલ્યા મોદી માટે છોડશે સીટ

સોમવાર, 10 માર્ચ 2014 (11:22 IST)
P.R
બીજેપીમાં મોટા નેતાઓની સીટને લઈને દોડતા ઘમાસાન હવે વારાણસીથી લખનૌ પહોંચી ગયુ છે. વારાણસી સીટ પર નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીને લઈને વિવાદ દૂર થયો નથી કે નવો વિવાદ લખનૌની સીટને લઈને ઉભો થઈ ગયો છે.

સૂત્રોના મુજબ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પોતાની ગાઝિયાબાદ સીટ છોડીને લખનૌથી ઉમેદવાર બની શકે તેવી શક્યતા છે. આવામા લખનૌથી પાર્ટીના સાંસદ લાલજી ટંડન નારાજ દેખાય રહ્યા છે. જો કે એનડીટીવી સાથે વાતચીતમાં લાલજી ટંડને સ્પષ્ટ કરી દીધુ કે તેઓ નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ છોડવા તૈયાર છે અને તે ઈચ્છે તો લખનૌથી ચૂંટણી લડી શકે છે.

વેબદુનિયા પર વાંચો