નવા નિયમ બધી વનડે મેચોમાં 5 જુલાઈથી લાગૂ થઈ જશે. બારબાડોસમાં આઈસીસીના વાર્ષિક સંમેલન દરમિયાન પાવરપ્લેને બેટિંગ પરથી હટાવવાની સાથે બોલરોને રાહત આપતા ફિલ્ડિંગમાં પણ મુખ્ય ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠ્ળ શરૂઆતના 10 ઓવરમાં 30 ગજના ઘેરેમાં ફિલ્ડરને લગાવાતી રોક હવે ખતમ કરવામાં આવી છે. આ ઉપરાંત 10 ઓવર પછી ઘેરાની બહાર પાંચ ફિલ્ડરોને લગાવવાની અનુમતિ આપવામાં આવી છે. જ્યારે કે પહેલા ચાર ફિલ્ડર લગાવવાની અનુમતિ હતી.
આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યુ કે આઈસીસી વિશ્વ કપની સફળતા પછી વનડેના રોમાંચને વધુ વધારવા માટે અમે આ પ્રારૂપની સમીક્ષા કરી. જો કે તેમા વધુ ફેરફારની જરૂર નથી. આ રમતનું સૌથી લોકપ્રિય પ્રારૂપ છે. તેથી તેને સૌની સમજમાં આવે તેવો બનાવવો જોઈએ. આ ઉપરાંત આ ફેરફાર બોલ અને બેટની વચ્ચે સંતુલન બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.