Surya Gochar 2023: 15 જૂનથી આ 4 રાશિઓની કિસ્મત બદલશે. માન સમ્માનમાં વૃદ્ધિ થશે

બુધવાર, 31 મે 2023 (15:26 IST)
Surya Gochar 2023- સૂર્યમંડળના રાજા સૂર્ય 15 જૂનને બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્ય ગોચર 15 જૂનને સવારે બધી રાશિઓ પર પડશે. સૂર્યના મિથુન રાશિમાં જતા બધી રાશીઓ પર તેનો અસર જોવા મળશે.
 
મેષ રાશિ- તમારી મનોકામના પૂર્ણ થશે. વેપાર માટે યાત્રા કરવાની પણ શકયતાઓ છે. કોઈ જૂના મુત્રથી મુલાકાત થઈ શકે છે. 
 
વૃષભ રાશિ- આર્થિક લાભ મળવાની તકો રહેશે. પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. નોકરી કરતા લોકોને ઉચ્ચ પદ કે સન્માન મળી શકે છે. આ દરમિયાન વાદવિવાદ ટાળો. વાણીમાં સંયમ રાખવો.
 
મિથુન રાશિ (Gemini)
કામનો ભાર વધી શકે છે. નોકરીમાં શુભ પરિણામ જોવા મળશે. ધંધાર્થીઓને સૂર્ય સંક્રમણથી ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લેવો.
 
કર્ક રાશિ (Cancer)
આર્થિક લાભ થશે. જેના કારણે તમે ધનવાન થઈ શકો છો. ભાગીદારીના કાર્ય લાભ આપશે. પદોન્નતિ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
 
સિંહ રાશિ 
પ્રમોશન મળી શકે છે. સરકારી ક્ષેત્રથી સંકળાયેલા લોકોને લાભ થઈ શકે છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. આ દરમિયાન માર્કેટિંગ સેલ્સ અને લેખન ક્ષેત્રથી સંકળાયેલા લોકોને સફળતા મળી શકે છે. 
 
કન્યા રાશિ (Virgo)
કરિયરમાં મહાલાભ થશે. આવકમાં વધારાના સાધન બનશે. આ ગોચરના દરમિયાન તમારી આથિક સ્થિતિ સારી થશે. સમાજમાં માન સમ્માન વધશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર