સંત સરોવર ડેમ: લોકો માટે નવું વન-ડે પિકનિક પ્લેસ
રાજસ્થાનમાં ભારે વરસાદ થતા ઓવરફ્લો થયેલા ધરોઇ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. તેના પગલે ગાંધીનગરમાં નિર્માણ પામેલા સંત સરોવર ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો અને તેમાંથી પાણી સાબરમતી નદીમાં વહી રહ્યું છે. ગાંધીનગરના સરિતા ઉદ્યાનની બિલકુલ પાછળ આવેલા આ ડેમને જોવા માટે હાલ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. તેમા પણ રજાના દિવસે તો મોટીસંખ્યામાં લોકો વન-ડે પિકનિક સાથે પ્રાકૃતિક સૌદર્યની મજા માણી રહ્યાં છે. ૨૦૦૬માં ડેમનું બાંધકામ શરૂ કરાયું હતું,