પાકિસ્તાન તરફથી 55 ટેસ્ટ અને 45 વનડે રમનારા સરફરાજે એક ટીવી ચેનલ શો દરમિયાન કહ્યુ, "તમે વિશ્વ કપમાં અત્યાર સુધી રમાયેલ મેચોને જુઓ જ્યા ભારત એવી પિચો પર રમ્યુ જે તેમના મજબૂત પક્ષ મુજબ તૈયાર કરવામાં આવી હતી."
સરફરાજે કહ્યુ કે પાકિસ્તાનને એવી પિચો પર રમાડવામાં આવી જે તેમને માટે સહેલી નહોતી. તેમણે કહ્યુ, "આજની મેચને જુઓ. તેના પર ડબલ ઉછાળ હતો જે અમારા મજબૂત પક્ષમ મુજબ નથી. હુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ મુદ્દો આઈસીસી સાથે ઉઠાવવ અને એ જાણવા માટે કહીશ કે શુ ચાલી રહ્યુ છે." સરફરાજે કહ્યુ કે પાકિસ્તાનને આઈસીસીમાં વિરોધ નોંધાવવો જોઈએ. કારણ કે જોઈ શકાય છે કે રમતની વૈશ્વિક સંસ્થા ભારતનો પક્ષ લઈ રહી છે.