માં લક્ષ્મી અને ગણેશનું પૂજન , ધાર્મિક,આધ્યાત્મિક,તાંત્રિક અને ભોતિક દરેક દ્રષ્ટિએ પ્રભાવશાળી છે . માં લક્ષ્મી પોતાના ભક્તો પર પ્રસન્ન થઈ તેને ધન સંપત્તિ આપે છે .ધન સંપત્તિને દાને મેળવવામાં કોઈ અવરોધ ઉભો ન થાય એ માટે રિધ્ધિ- સિધ્ધિના દાતા શ્રી ગણેશની પૂજા થાય છે. મા લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા એક સાથે કરતી વખતે ધ્યાન રાખો કે શ્રી ગણેશને મા લક્ષ્મીના જમણી બાજુ પર સ્થાપિત કરો ત્યારે જ પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપત થાય છે.