સિંધુના આ નિવેદન પછી કોચ પુલેલા ગોપીચંદે કહ્યુ, "સિંધુ પાસે છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેનો ફોન નહોતો. પહેલુ કામ હુ એ કરીશ કે તેને તેનો ફોન પરત કરીશ. બીજી વાત અહી પહોંચ્યા પછી છેલ્લા 13 દિવસમાં મે તેને ગળ્યુ દહી ખાવા દીધુ નહોતુ. જે તેને ખૂબ પસંદ છે. મે તેને આઈસક્રીમ ખાવાથી પણ રોકી હતી. હવે તે ગમે તે ખાઈ શકે છે.
સિંધુનુ બલિદાન શાનદાર - ગોપીચંદ
ગોપીએ ઓલંપિક દ્વારા સિંધુના અનુશાસન અને ચુસ્ત મહેનતના પણ વખાણ કર્યા. તેમણે કહ્યુ, ગયુ અઠવાડિયુ તેને માટે શાનદાર રહ્યુ. છેલ્લા બે મહિનામાં તેને જે રીતે મહેનત કરી છે તે બેજોડ હતી. જે રીતે વગર કોઈ ફરિયાદે તેણે બલિદાન કર્યુ તે શાનદાર હતુ. હવે તે આ ક્ષણનો આનંદ લેવાની હકદાર છે અને હવે હુ હકીકતમાં ઈચ્છુ છુ કે તે આવુ કરે. હુ વાસ્તવમાં ખૂબ ખુશ છુ."
અનુશાસન માટે જાણીતા છે કોચ ગોપીચંદ !
એવુ કહેવાય છે કે ભારતના દિગ્ગજ બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ કોઈ સમજૂતી નથી કરતા અને એ જ કારણ છે કે તેમણે છેલ્લા ત્રણ મહિનાથી પી વી સિંધુને ફોનથી દૂર રાખી અને રિયો પહોંચતા આ રજત પદક વિજેતા શટલરને આઈસક્રીમ પણ ખાવા ન દીધી.