ભારતીય પહેલવાન નરસિંહ યાદવની કિસ્મતે અચાનક ફરીથી પલટી ખાધી અને ખેલ ન્યાયપંચે રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજંસી દ્વારા તેમને આપવામાં આવેલ ક્લીન ચિટને રદ્દ કરતા ઓલ્મ્પિકથી બહાર કરવાની સાથે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાને કારણે ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. વિશ્વ ડોપિંગ નિરોધક એજંસીએ નાડા દ્વારા નરસિંહને આપવામાં આવેલ ક્લીન ચિટ વિરુદ્ધ રમત ન્યાયપંચમાં અપીલ કરી હતી. રમત ન્યાયાલયે ગઈકાલે ચાર કલાક સુધી ચાલેલી સુનાવણી પછી રજુ નિવેદનમાં કહ્યુ, સંબંધિત પક્ષોને સૂચના આપવામાં આવે છે કે અપીલ સ્વીકારી લેવામાં આવી છે અને નરસિંહ યાદવ પર આજથી ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે અને જો તેના પર પહેલા અસ્થાયી રોક લગાવવામાં આવી હતી તો આ સમય તેમાથી ઓછો કરી દેવામાં આવશે.
તેમા કહેવામાં આવ્યુ, 'આ ઉપરાંત 25 જૂન 2016થી લઈને અત્યાર સુધી નરસિંહના બધા પ્રતિસ્પર્ધક પરિણામોને રદ્દ કરવામાં આવશે અને તેમના પદક, અંક, પુરસ્કાર પરત લેવામાં આવશે. રમત પંચાયતની પેનલે આ માનવા તૈયાર નથી કે તે કોઈ ષડયંત્રના શિકાર થયા છે. તેમા કોઈ પુરાવા નથી કે તેમની કોઈ ભૂલ નથી અને ડોપિંગ નિરોધક નિયમ તેમણે જાણીજોઈને નથી તોડ્યા. તેથી પેનલે તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. આ સાથે જ નરસિંહના રિયો ઓલમ્પિકની સફરની વિવાદોથી પણ દુખદ દાસ્તાનનો અંત આવી ગયો.