ઈજાને લીધે ઈગ્નેસના કેરિયરને ખતરો

ભાષા

રવિવાર, 30 મે 2010 (16:20 IST)
ઈજાને લીધે ઝઝુમી રહેલ અને ભારતીય ટીમમાં નિયમિત રીતે જગ્યા બનાવવામાં સફળ રહેલ પુર્વ કેપ્ટન ઈગ્નેસ ટીર્કી સંન્યાસ લેવાનો વિચાર કરી રહ્યાં છે.

એંથેસ ઓલિમ્પિક્સમાં રમનાર ટીર્કીએ કહ્યું કે, તેઓ નવી દિલ્હીમાં ત્રણથી 14 ઓક્ટોબંર સુધી થનાર રાષ્ટ્રમંડળ રમતો માટે ફીટ ન થઈ શક્યાં તો તેઓ પોતાની કારકિર્દી પર નિર્ણય લેશે. ટીર્કીએ ઘણી મેચમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યુ હતું પરંતુ 2006માં રાષ્ટ્રમંડળ રમતોને લીધે તેમને આ જવાબદારી છોડવી પડી હતી.

ઘુંટણની ઈજામાંથી બહાર આવી રહેલ ટીર્કીએ કહ્યું કે આ વર્ષે બે મહત્વની ટુર્નામેંટ થવાની છે. જો હું રાષ્ટ્રમંડળ રમતો અને તેની પછી થનારી એશિયાઈ રમતોમાં મારી જગ્યા નહિ બનાવી શકું તો કદાચ દિલીપ ટીર્કીની જેમ સંન્યાસ લઈ શકું છું.

વેબદુનિયા પર વાંચો