એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા સમગ્ર બ્રહ્માંડની પૂજા સમાન માનવામાં આવે છે. આમ તો શિવજીની પ્રતિમા, ચિત્ર વગેરેનુ પૂજન પણ કરવામાં આવે છે પણ મોટાભાગે તેમના લિંગ રૂપનુ પૂજન થાય છે. હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે ઉત્પત્તિ અને વિલયનુ સ્થાન.
વેદોમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ સૂક્ષ્મ શરીરના મૂળમાં 17 તત્વ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેદ્રિયાં, 5 વાયુ અને મન અને બુદ્ધિ. આ બધાના દાતા શિવલિંગ જ છે. પુરાણો મુજબ પ્રલયકાળમાં આ 17 તત્વ શિવલિંગમાં જ સમાય જાય છે.
શિવલિંગની મહિમા - શિવલિંગ માં ત્રીદેવો ની શક્તિ નિહિત છે. શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે. શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી. તેથી લિંગ રૂપનુ પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગના મૂળ માં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારી ના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગ ની પૂજા થી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવી દેવતાની પૂજા ની સમાન છે શિવ ના નિરાકાર શિવલિંગ ની પૂજા.
જ્યારે સમુદ્ર મંથન સમયે તમામ દેવતાઓ અમૃત માટે આતુર હતા, તે સમયે ભગવાન શિવને હલાહલ ઝેર મળ્યું. તેણે તે ઝેર પોતાના ગળામાં લીધું, જેના કારણે તેને 'નીલકંઠ' કહેવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને કારણે ભગવાન શિવનું શરીર ફૂલી ગયું અને શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ ચાલુ છે. શિવલિંગને ભગવાન શિવના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેની પૂજા નિયમો અને નિયમો અનુસાર કરવામાં આવે છે.