શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થયુ છે તેથી આજથી દિવાસો પણ લાગી ગયુ છે અષાઢી અમાસથી દશામાં વ્રત અને શ્રાવણના પ્રથમ દિવસે જ જીવંતિકાઅ વ્રતથી શ્રાવણ મહીનાની શરૂઆત થઈ ગઈ છે.
- જીવંતિકા વ્રત માતાઓ દ્વારા તેમના બાળકના રક્ષણ માટે કરાય છે.
- આ વ્રત કરવાથી બાળકોની આયુષ્ય વધે છે અને બાળક સ્વસ્થ રહે છે.
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.