ઝવેરચંદ મેઘાણીના પુત્રનું નિધન

ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (08:47 IST)
ગુજરાતના જાણીતા પુસ્તક પ્રસારક-પ્રકાશક, સંક્ષેપકાર, સંપાદક અને અનુવાદક મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી 99 વર્ષની વયે અવસાન પામ્યા છે.
 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ભાવનગર લોકમિલાપ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ મેઘાણીનું આજે રાત્રે તેમના નિવાસસ્થાન ભાવનગર ખાતે નિધન થયું છે. આજે સવારે તેમની અંતિમયાત્રા નીકળશે. તા.4 ના સવાર ના રોજ ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. 
 
મહેન્દ્રભાઈ મેઘાણીનો જન્મ તા.20,જૂન 1923ના રોજ થયો હતો, તેઓ 99 વર્ષ પૂર્ણ કરી 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર